Skip to main content

ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન.

         ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન. ખેરગામ વેણ ફળિયાના સ્વ. શંકરભાઈ નીછાભાઈ પટેલના ધર્મપત્ની તથા ડૉ. પંકજભાઈ પટેલના પૂજ્ય માતૃશ્રી કુસુમબેન પટેલ નું તા. 22 જુલાઈ, 2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ કુસુમબેનશ્રીએ ખેરગામ કન્યાશાળામાં આદર્શ શિક્ષિકા તરીકે લાંબા સમય સુધી નિષ્ઠા, સમર્પણ અને કર્તવ્યભાવ સાથે સેવા બજાવી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, સહકર્મીઓ અને સમાજમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમનો સૌમ્ય સ્વભાવ, મીઠી વાણી, સૌને માન-સન્માન આપવાની ભાવના અને સેવાભાવી વ્યક્તિત્વ તેમની આગવી ઓળખ હતી. શિક્ષિકા, માતા, પત્ની, બહેન અને ગૃહિણી તરીકે તેમણે જીવનના દરેક દાયિત્વને પ્રેમ, સંસ્કાર અને આત્મીયતા સાથે નિભાવ્યા હતા. તેમના આદર્શ જીવનમૂલ્યો અને માનવતાભર્યા વ્યવહારની સુગંધ અનેક લોકોના જીવનમાં હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. તેમના અવસાનના સમાચારથી ખેરગામ સહિત સમગ્ર શિક્ષણજગત અને સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. વિવિધ આગેવાનો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્નેહીજનો તથા શુભેચ્છકોએ સ્વર્ગસ્થ ...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

  વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ


માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે.

વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ.

ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય
વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા.

સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજી વાર્તાઓ અને જોક્સ શેર કરવા લાગ્યા. આજ સુધીમાં ફેસબુક પર 4,900 ફોલોઅર્સ અને પ્રતિલિપી પર 2,30,000થી વધુ વાંચકો તેમની રચનાઓ માણી રહ્યા છે.

સાહિત્ય અને ફિલ્મ દ્વારા ધોડીઆ બોલીનો પ્રસાર
વિજ્ય ગરાસિયા દ્વારા 2020માં "એક અહુંની વાત આય..." નામથી ધોડીઆ ભાષાનું પ્રથમ હાસ્ય પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક ગુજરાત સરકાર અને રાજા રામમોહનરાય લાઈબ્રેરી ફાઉન્ડેશન, કોલકાતા દ્વારા ખરીદીને વિવિધ સરકારી લાઈબ્રેરીઓમાં મૂકવામાં આવ્યું.

તેમના લેખનપ્રેમને વધુ ઊંડા કરી, "અહા મહલાયા વિવાહ" નામની નવલકથા લખી, જે હાલ પ્રકાશનની રાહ જોઈ રહી છે. ધોડીઆ ભાષાને લોકપ્રિય બનાવવા માટે તેમણે "રૂપલી ચા વાળી" શોર્ટ ફિલ્મ માટે સ્ટોરી લખી, જેને એવોર્ડ પણ મળ્યો હતો.


આ ઉપરાંત, "ખાટા મૂઈલા જાય ધનાધન..." (લાલ કીડી જાય ધનાધન...) નામનું લોકગીત લખી, જે લોકપ્રિય થયું છે.

સમાજની જાગૃતિ માટે આદિવાસી સાહિત્ય મંચ
વિજ્ય ગરાસિયા અને તેમના સાથીઓ દર વર્ષે દિવાળીએ આદિવાસી સાહિત્ય મંચ દ્વારા મનોમંથન કરે છે, જ્યાં દર વર્ષે ધોડીઆ ભાષામાં એક-બે પુસ્તકો પ્રકાશિત કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.

વિશ્વ માતૃભાષા દિવસ પર, આદિવાસી ભાષાઓના જતન માટે, શહેરી અને ગામડાંના યુવાનોને માતૃભાષા સાથે ફરીથી જોડવા માટે આમંત્રણ છે. વિરવલિયો વિજુની જેમ, જો આપણે પણ આપણી મૂળભૂત ઓળખ અને ભાષાની સંભાળ લઈએ, તો આપણી સંસ્કૃતિની સમૃદ્ધિ ભવિષ્ય સુધી ટકી રહેશે.

આપને વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

વિરવલિયો વિજુ દ્વારા લખાયેલું લોકપ્રિય ધોડીઆ ગીત:
ખાટા મુઇલા જાય ધનાધન , ખાટા મુઇલા જાય...
ઉભી પુસડીએ જાય મુઇલા, ઉભી પુસડીએ જાય...

ખાટા મુઇલા જાય ઝપાટામાં, ખાટા મુઇલા જાય...
વરહાત આવુનો વે તે, મુઇલા નીચેથા ઉપર જાય...

- વિજય ગરાસિયા (વિરવલિયો વિજુ)

Comments

Popular posts from this blog

KHERGAM|BAHEJ: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.

KHERGAM|BAHEJ:  ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા. 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન પાઠવ્યા હતા.

વાત મારા ગામની : ખેરગામ તાલુકામાં ઔરંગા નદીના કિનારે વસેલું ખૂબસૂરત ગામ ભૈરવી

વાત મારા ગામની : ખેરગામ તાલુકામાં ઔરંગા નદીના કિનારે વસેલું ખૂબસૂરત ગામ ભૈરવી

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.