Skip to main content

ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ

         ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય અ...

ગૌરવવંતુ જીવન સાર્થક કરનાર શિક્ષક : સ્વ. બહાદુરભાઈ ગરાસિયા

ગૌરવવંતુ જીવન સાર્થક કરનાર શિક્ષક : સ્વ. બહાદુરભાઈ ગરાસિયા 


ગૌરી આશ્રમ શાળામાં 30 વર્ષ સુધી ટ્રસ્ટી અને પ્રમુખશ્રી તરીકે સેવા આપી હતી.

નોકરીના ૩૮ વર્ષ  પૂર્ણ કરી ૩૧ વર્ષ સુધી પેન્શન મેળવ્યું.

 સ્વ. બહાદુરભાઈ ગરાસિયાએ  સ્વ.ભાણાભાઈ મંગાભાઈ ગરાસિયાનાં  આઠ સંતાનોમાં ૬ઠ્ઠું સંતાન. "નાગળા ગરાસિયા" આદિવાસી ધોડિયા સમાજનું કુળ. તેમનો જન્મ આઝાદી પહેલાં તારીખ:૦૧-૦૧-૧૯૩૫નાં દિને નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકાનાં કાકડવેરી ગામમાં થયો હતો. વર્ષ ૨૦૨૪ની ૨૯મી સપ્ટેમ્બરે ૮૯માં વર્ષે તેમનો સ્વર્ગવાસ થયો.

તેમણે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં મેળવ્યું હતું. ત્યાં  તેમણે  ફાઈનલ ૭નો અભ્યાસ કરી તેમણે બીલીમોરા  ખાતે પીટીસીનો અભ્યાસ કરી તારીખ ૧૭-૦૮-૧૯૫૫માં ધરમપુર તાલુકાના બેડમાળ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક મેળવી હતી. ત્યારબાદ રાજપુરી તલાટ પ્રાથમિક શાળા અને છેલ્લે પોતાના ગામની કાકડવેરી શાળામાં તારીખ: ૩૦-૦૮-૧૯૯૩નાં  રોજ નિવૃત્ત થયા હતા. છતાં તેઓ આજીવન વિદ્યાર્થી રહ્યા હતાં તેમના પુત્રી ઉર્મિલાબહેનના જણાવ્યા મુજબ સવારે વહેલા ઉઠી પૂજાપાઠ કરી ચા પાણી કર્યા પછી એકાદ કલાકની આસપાસ પુસ્તકનો અભ્યાસ કરતાં હતાં.

તેઓ એવા મક્કમ  મનોબળ વાળા શિક્ષક હતા, જે પોતાના જીવનમાં અનેક મક્કમ સંકલ્પોથી આગળ વધીને, અનેક આડચણો અને સંઘર્ષો વચ્ચે પોતાની શૈક્ષણિક સફરને સનસૂચિત બનાવી હતી.  તેમણે ગ્રામીણ વિસ્તારમાં નોકરીની શરૂઆતથી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ ક્યારેય હાર નહોતી માની.

આવા શિક્ષકનો જીવન સંઘર્ષમાં સામાન્ય રીતે કટોકટીય પરિસ્થિતિઓ, પુરતી ભણતર અને સંસાધનોની અછતનો સામનો કરવા ઉપરાંત સમાજની અવગણનાનો પણ સામનો કરવો પડ્યો હતો. 

તેઓ એવા બાળકોને ભણાવવા મક્કમ હતા, જેમણે કદાચ ક્યારેય કોઈ શાળા જોઈ પણ ન હોય. તેઓ બાળકોની શિક્ષણની જરૂરિયાતોને સમજીને તેમની શૈક્ષણિક સમજણમાં વૃદ્ધિ પ્રયત્નો કર્યા હતા. અને આ પાયાને મજબૂત બનાવવામાં, તેમણે અનેક ઉત્ક્રાંતિઓ અને સફળતાઓ હાંસલ કરી હતી.

નિવૃત્તિ પછી પણ શિક્ષણની જ્યોત જલાવનાર સ્વ. બહાદુરભાઈ ગરસિયાની કહાની એવી એક ઉત્સાહભરી અને પ્રેરણાદાયી કથા છે જેનો મૂળમાં વિચાર આ છે કે શિક્ષણ માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવનભર ચાલતો ધ્યેય છે. આવા શિક્ષક માટે નિવૃત્તિ માત્ર નોકરીમાંથી મુક્તિ છે, પણ શિક્ષણ પ્રત્યેની આગાહી અને પાઠશાળામાં તેમના અનુભવનો સમય પૂરું નથી થતો. 

તેમના લાંબા શિક્ષણકાર્ય પછી નિવૃત્ત થાય છે, પરંતુ તેઓ જાણે છે કે હજુ સમાજના  આદિવાસી પછાત છોકરાને ભણાવવાનો હક્ક હાંસલ થયો નથી, એવી વિચારધારાને કારણે નિવૃત્તિ બાદ પણ તેમણે શિક્ષણનું કામ બંધ કરવાને બદલે, ખેરગામ તાલુકાના ગૌરી ગામમાં  પછાત અને ગરીબ આદિવાસી વિસ્તારના બાળકોને ભણાવવા માટે આશ્રમ શાળાના મંડળના ટ્રસ્ટમાં જોડાયા હતા. ત્યાં તેમણે ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે ૩૦ વર્ષ સેવા આપી હતી. 

પ્રમુખ પદે તેમણે હર હંમેશ ગરીબ બાળકોના હિતમાં નિર્ણયો લીધા હતા. ભોજનથી લઈ સરકાર તરફથી મળતી  સુખ સગવડની તમામ સુવિધાઓ આશ્રમના બાળકોને પૂરી પાડી હતી. ભલે નિવૃત્ત થયા હોય તેઓની દ્દષ્ટિ સમાજ અને વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર રહે તે તેમનો જીવંત વારસો હતો.

તેમણે વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન પૂરતું નહીં, પરંતુ સમાજ અને જીવન સાથે જોડાયેલા વિવિધ વિજ્ઞાનો, ધાર્મિકતા , સમાજસેવા, નૈતિકતા અને કાર્યકુશળતા જેવા ક્ષેત્રોમાં પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સમાજ માટે પણ તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. જે માત્ર શૈક્ષણિક જ્ઞાન ન આપતા, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યવાન આદર્શો, નૈતિકતા અને જીવનમાં સફળતા માટેના મૌલિક ગુણોનું પ્રેરણાસ્થાન પુરું પાડ્યું છે.

તેમણે વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્ય અને સમાજ માટે ફરજની ભાવનાને વિકસાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમાજ માટે ત

તેમણે માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, વિવેકશીલતા અને જીવનની સુક્ષ્મ કળાઓ પ્રત્યે પણ સમજણ વિકસાવી તેનો સમાજને આપવાનો પ્રયત્ન કર્યો હતો.

એક શિક્ષક તરીકેની સમાજમાં આગવી ઓળખ ઊભી કરી હતી. તેમનામાં અનુસરણીય વ્યક્તિગત વર્તન, વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત, વિનમ્રતા અને પ્રેમભાવ, શિક્ષણ, સામજિક, સાંસ્કૃતિક, ધાર્મિકવૃત્તિ જેવાં ગુણોનો અમૂલ્ય ખજાનો ધરાવનાર જોગી સમાન હતા. તેમણે ઉચ્ચ ધ્યેય અને વિચારધારા સાથે  જીવન સાર્થક કર્યું. કુટુમ્બકમની ભાવના રાખી સમાજના સૌ સાથે હળીમળીને ઉન્નતિ અને પ્રગતિ માટે આજીવન પ્રયત્નો કર્યા. જીવનની અંતિમ પળોમાં પણ નામ પ્રમાણે બહાદુરી બતાવીને જીવન જીવવાની કળા શીખવાડી ગયા.

તેમના સંતાનોમાં એક પુત્ર અને ચાર પુત્રીઓ.તેમાં એક પુત્રીનો સ્વર્ગવાસ થયેલ છે. એક પુત્રીને બાદ કરતાં તમામ સંતાનો ખાધેપીધે સુખી છે. તેમણે એક આદર્શ પતિની પણ ભૂમિકા ભજવી છે. શરીરે અશક્ત પત્નીની તેમણે મૃત્ય પર્યંત સેવા કરી.

આશ્રમ શાળા આદિવાસી બાળકોના શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું. તેઓ ધાર્મિકવૃત્તિ ધરાવતા હોય તેમણે ગુરુધામ બરૂમાળમાં એક શિષ્ય તરીકે આજીવન સેવા આપી અને તેઓ ગુરુભક્ત "મામા" તરીકે ઓળખાયા. અને સમાજના લોકોનાં મન જીત્યાં હતા. આમ સમાજમાં ધૂપસળીને જેમ સુગંધ પ્રસરાવી સમાજની સંગઠનની કળા શીખવાડી ગયા.


Comments

Popular posts from this blog

History of khergam taluka । ખેરગામ તાલુકાનો ઇતિહાસ

    History of khergam taluka । ખેરગામ તાલુકાનો ઇતિહાસ ખેરગામ એ ભારતના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલું એક નાનું શહેર અને ગ્રામ પંચાયત છે. તે નવા રચાયેલા ખેરગામ તાલુકાના મુખ્ય મથક તરીકે સેવા આપે છે, જેમાં આછવણી, બહેજ, ચીમનપાડા, રૂઝવણી, ડેબરપાડા, ધામધુમા, ગૌરી, જામનપાડા, કાકડવેરી, ખેરગામ, નડગધરી, નાંધઈ, નારણપોર, પણંજ, પાટી, પાણીખડક, નવીભૈરવી, પેલાડી ભૈરવી, તોરણવેરા, વાડ, વડપાડા, વાવ જેવી 22 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. ખેરગામથી સૌથી દૂર આવેલા ગામોમાં ધામધુમા 12.7 કિમી, તોરણવેરા 15.1 કિમી અને પાટી 10.8 કિમી અંતર છે. આ શહેર વ્યૂહાત્મક રીતે અરબી સમુદ્રની નજીક સ્થિત છે, જે તેને નવસારી, વલસાડ, સુરત અને ચીખલી જેવા નજીકના શહેરો સાથે સારી રીતે જોડાયેલ બનાવે છે. ખેરગામથી ધરમપુર 16.9 કિમી, ચીખલી 16.9 કિમી, વલસાડ 22.2 કિમી અને વાંસદા 36 કિમી અંતર ધરાવે છે. ઐતિહાસિક રીતે, ખેરગામ એક શાંતિપૂર્ણ અને વૈવિધ્યસભર સમુદાય છે, જેમાં નોંધપાત્ર વસ્તી સ્થાનિક વાણિજ્ય અને કૃષિ સાથે સંકળાયેલી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ખેરગામમાં સાક્ષરતા દર 75.82% સાથે આશરે 14,851 લોકોની વસ્તી હતી, જે પ્રમાણમા...

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

      ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે...

ખેરગામનું ગૌરવ : ખેરગામનાં ફેમસ રમેશ સ્ટુડિયોનાં ફોટોગ્રાફર પરિમલ પટેલને બેસ્ટ ફોટોગ્રાફરનાં એવોર્ડથી સન્માનિત.

 ખેરગામનું ગૌરવ : ખેરગામનાં ફેમસ રમેશ સ્ટુડિયોનાં ફોટોગ્રાફર પરિમલ પટેલને બેસ્ટ ફોટોગ્રાફરનાં એવોર્ડથી સન્માનિત. ગાંધીનગર ખાતે યોજાયેલ એક ફોટોગ્રાફર ઇવેન્ટમાં ખેરગામનાં ફેમસ રમેશ સ્ટુડિયોનાં ફોટોગ્રાફર પરિમલ પટેલને બેસ્ટ ફોટોગ્રાફરનાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીમાં નિષ્ણાંત છે. ખેરગામ તાલુકામાં જાહેર કાર્યક્રમો, શૈક્ષણિક કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો, રાજકીય કાર્યક્રમ કે રેલીનું આયોજન હોય ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફિ માટે  તેમને અચૂક આમંત્રણ આપવામાં આવે છે. વિડિયો કે ફોટોગ્રાફીનું editing પોતે જ કરે છે. ફોટોગ્રાફી, વિડિયો શૂટિંગ અને તેના edting માટે તેમણે એડવાન્સ શિક્ષણ મેળવેલ છે. તેમને મળેલ એવોર્ડથી ખેરગામવાસીઓ અને તેમના મિત્રમંડળ વર્તુળમાં ખુશીનું મોજું ફરી વળ્યું.