ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન. ખેરગામ વેણ ફળિયાના સ્વ. શંકરભાઈ નીછાભાઈ પટેલના ધર્મપત્ની તથા ડૉ. પંકજભાઈ પટેલના પૂજ્ય માતૃશ્રી કુસુમબેન પટેલ નું તા. 22 જુલાઈ, 2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ કુસુમબેનશ્રીએ ખેરગામ કન્યાશાળામાં આદર્શ શિક્ષિકા તરીકે લાંબા સમય સુધી નિષ્ઠા, સમર્પણ અને કર્તવ્યભાવ સાથે સેવા બજાવી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, સહકર્મીઓ અને સમાજમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમનો સૌમ્ય સ્વભાવ, મીઠી વાણી, સૌને માન-સન્માન આપવાની ભાવના અને સેવાભાવી વ્યક્તિત્વ તેમની આગવી ઓળખ હતી. શિક્ષિકા, માતા, પત્ની, બહેન અને ગૃહિણી તરીકે તેમણે જીવનના દરેક દાયિત્વને પ્રેમ, સંસ્કાર અને આત્મીયતા સાથે નિભાવ્યા હતા. તેમના આદર્શ જીવનમૂલ્યો અને માનવતાભર્યા વ્યવહારની સુગંધ અનેક લોકોના જીવનમાં હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. તેમના અવસાનના સમાચારથી ખેરગામ સહિત સમગ્ર શિક્ષણજગત અને સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. વિવિધ આગેવાનો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્નેહીજનો તથા શુભેચ્છકોએ સ્વર્ગસ્થ ...
Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.
તારીખ :10-09-2024નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.
આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.




Comments
Post a Comment